Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

જ્યોતિ શોએ પુરૂષોને પણ પ્રભાવિત કર્યા હતાં: સ્નેહા વાઘ

દસ વર્ષ પહેલા સાસુ વહુના ડ્રામાથી ભરપુર ટીવી સિરીયલોની ભરમાર ચાલી રહી હતી. એ સમયે જ્યોતિ જેવો ટીવી શો  લાવીને એક મજબૂત મહિલાને ચિત્રીત કરવાનું સાહસી પગલુ ભરવામાં આવ્યું હતું. જ્યોતિ નામની મહિલા કઇ રીતે પરિવારની તમામ જવાબદારી પોતાના પર લઇ લે છે અને કઇ રીતે સમશ્યાઓનો સામનો કરે છે તેની કહાની હતી. આ શો ભલે સમય કરતાં આગળની વિચારધારા દર્શાવતો હતો, છતાં દર્શકો તેની સાથે સહજતાથી જોડાઇ ગયા હતાં. જ્યોતિની મુખ્ય ભુમિકા નિભાવનાર અભિનેત્રી સ્નેહા વાઘ કહે છે-જ્યોતિએ માત્ર મહિલાઓને જ નહિ, પણ જે પુરૂષોએ પોતાના ઘર ચલાવવાની જવાબદારી લીધી હતી તેમને પણ પ્રોત્સાહિત કર્યા હતાં. મને એ વખતે મારા પાત્રના નામથી ચાહકો બોલાવતા હતાં. સ્નેહા કહે છે આ મજબુત પાત્રને ટીવી પર ફરીથી લાવવાનું જરૂરી હતું. આથી જ દંગલ ચેનલ પર આ શો દરરોજ સવારે દસ વાગ્યે અને રાતે દસ વાગ્યે ફરીથી પ્રસારીત કરવામાં આવી રહ્યો છે. આજે એવું કોઇ કામ નથી જે માત્ર પુરૂષો કરી શકે અને મહિલા ન કરી શકે.

(10:07 am IST)