Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

એક છત નીચે ચાર બાળકો સાથે રહેશે બોની કપૂર

મુંબઈ: બોલીવુડ હિરોઈન શ્રીદેવીના નિધન બાદથી બોની કપુરના ચારેય બાળકો ખૂબ નજીક આવ્યા છે. બોની પોતાની પુત્રીઓ (જ્હાન્વી-ખુશી)ની સાથે રહે છે. તો અર્જુન અને અંશુલા અલગ ઘરમાં રહે છે. શ્રીદેવીના નિધન બાદ તેઓ એકબીજાના ઘરે જતા આવતા રહે છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, બોની પોતાના ચારેય બાળકો સાથે એક ઘરમાં રહેવાનો પ્લાન કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ બોની ચારેય બાળકો વચ્ચેની બોન્ડિંગ જોયા બાદ તમામ સાથે એક ઘરમાં રહેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં બોનીએ જોયુ કે તેમના બાળકો એકબીજાની નજીક આવ્યા છે અને એકબીજાને સપોર્ટ કરી દુઃખમાં ભાગીદાર બન્યા છે. જે જોતા હવે તેઓ ચારેય બાળકોને એક છત નીચે લાવવા માંગે છે.

(4:08 pm IST)