Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સુશાંત વિશે આજે પણ કોઇ વાત નથી કરવી અંકિતાને

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે ટીવી શો પવિત્ર રિશ્તામાં નિભાવેલા અર્ચનાના પાત્રને કારણે ટુંકા સમયમાં જ દર્શકોમાં લોકપ્રિય બની ગઇ હતી. પાંચ વર્ષ સુધી તેણે આ શો થકી સોૈનું મનોરંજન કર્યુ હતું. આ શોમાં જ તેની સાથે કામ કરતાં સુશાંતસિંહ રાજપૂત સાથે તેની રિલેશનશીપ પણ શરૂ થઇ ગઇ હતી. જો કે બાદમાં સુશાંતસિંહ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું. હવે અંકિતા લોખંડે કંગના રનોૈત સાથે ફિલ્મ 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી' થકી બોલીવૂડમાં આવી રહી છે. સુશાંત સાથે બ્રેકઅપ પછી અંકિતાએ કશાલ ટંડન સાથેના કેટલાક ફોટા પોસ્ટ કરતાં બંના નામ એક બીજા સાથે જોડી દેવાયા હતાં. જો કે અંકિતા કહે છે આ બધી અફવા છે, હું હાલમાં કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છું. સુશાંત બાબતે તે સ્પષ્ટ કહે છે કે મેં આ વિશે પહેલા પણ કંઇ નથી કહ્યું, અને આજે પણ કંઇ કહેવા ઇચ્છતી નથી. હાલમાં તે સિંગલ જ ખુશ છે.

(9:55 am IST)