Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લતા મંગેશકરે મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ૨૫ લાખ રૂપિયા આપ્યા, લોકોને પણ યથાશકિત મદદ કરવા અપીલ કરી

લતા મંગેશકરે કોરોના વાઈરસ સામેની જંગ લડવામાં તેમની આર્થિક સહાય નોંધાવી છે. લતા દીદીએ મરાઠીમાં ટ્વીટ કરી જાહેર કર્યું કે તેઓ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ૨૫ લાખ રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે.

તેમણે લખ્યું કે, આ કઠીન સમયમાં સરકારની મદદ કરવી આપણું કર્તવ્ય છે. હું મારા તરફથી મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ૨૫ લાખ રૂપિયા આપું છું. હું દરેકને વિનંતી કરૂ છું કે આપણે કોરોના સામેની લડાઈમાં સરકારને યથાશકિત મદદ કરવી જોઈએ.

(4:18 pm IST)