Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

7 એપ્રિલે રિલીઝ થશે આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'ગુમરાહ'

મુંબઈ: અભિનેતા આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ ગુમરાહને રિલીઝ ડેટ મળી ગઈ છે, સાચી ઘટનાઓ પર આધારિત ક્રાઈમ થ્રિલર 7મી એપ્રિલના રોજ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. આદિત્ય બે સંપૂર્ણપણે અલગ અવતારમાં પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે અને મૃણાલ પોલીસની ભૂમિકામાં જોવા મળશે.આ થ્રિલર ફિલ્મ આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરને એક અલગ અવતારમાં સાથે લાવશે. નવોદિત દિગ્દર્શક વર્ધન કેતકર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ટી-સિરીઝ અને મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(7:49 pm IST)