Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

આયુષ્માન ખુરાનાની પત્નિ તાહિરા કશ્યપને ફરીથી કેન્સર થતા સમગ્ર પરિવાર ચિંતામા

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં જ તાહિરા કેન્સરની સારવાર કરાવીને કામ પર પાછી આવી હતી અને ફરીથી તેને કેન્સર ડિટેક્ટ થયું છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખીને તાહિરાએ જણાવ્યું કે તેને બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ‘1st A’ પર છે. આ જાણકારીથી માત્ર આયુષ્માન જ નહીં તેનો સમગ્ર પરિવાર ટેન્શનમાં આવી ગયો છે. સાથે જ ફેન્સ પણ ટેન્શનમાં છે.

બીજી વખત કેન્સર ડિટેક્ટ થવાની જાણકારી તાહિરાએ સોશિયલ મીડિયામાં આપતા લખ્યું, હજું અડધી જંગ બાકી છે. જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા તાહિરાને બ્રેસ્ટ કેન્સરની ખબર પડી હતી અને તે સારવાર માટે ગઈ હતી. તેણે માસ્ટેક્ટોમી કરાવી હતી જે સફળ રહ્યા બાદ તે કામ પર પાછી આવી હતી. તાહિરાએ પોતાના સાજા થવાની જાણકારી ટ્વીટર પર આપી હતી. તેણે લખ્યું હતું, કામ શરૂ… પ્રીપ્રોડક્શન, હેપ્પી થેક્સગિવિંગ. આભારી છું.

તાહિરાએ ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે મને લાગે છે કે જો કોઈ પરેશાની રસ્તામાં આવી ગઈ છે તો તે તમારા પર નિર્ભર કરે છે તમે તેને હરાવો અને પોતાની જાતને સશક્ત બનાવો. હું અપગ્રેટેડ વર્ઝન કેન્સરના સ્ટેજ 1 સામે લડી રહી છું. કીમોથેરપીના પણ 12 સેશન થવાના છે જેમાંથી 6 થઈ ચૂક્યા છે અને 6 હજુ બાકી છે. હું અડધી લડાઈ જીતી ચૂકી છું અને અડધી તેવા લોકો માટે લડવા ઈચ્છું છું, જે તેમાંથી પસાર થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે આયુષ્માન અને તાહિરાએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બંને બાળપણના મિત્ર હતા. લગ્ન પહેલા પાંચ વર્ષ સુધી બંનેએ એકબીજાના ડેટ કર્યા છે. તાહિરા પ્રોફેશનથી એક રાઈટર છે. તેણે Promise નામથી એક બુક લખી છે.

(4:49 pm IST)