Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જોન અબ્રાહમ કામ કરશે 'સત્યમેવ જયતે-2'માં

મુંબઈ: બોલિવૂડનો માચો મેન જોન અબ્રાહમ સુપરહિટ ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલમાં કામ કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ ડિરેક્ટર મિલાપ ઝવેરી વર્ષ 2018 માં રિલીઝ થયેલ સત્યમેવ જયતે ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે.સત્યમેવ જયતે 2 નામથી ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમની સાથે દિવ્ય ખોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભૂષણ કુમાર અને નિખિલ અડવાણી નિર્માતા સત્યમેવ જયતે 2 ઓક્ટોબર, 2020 ના રોજ રજૂ થશે.

(5:23 pm IST)