Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ફરીથી માહિરા બનવા આતુર રહીશઃ સ્વાતિ

દર્શકોમાં ખુબ પ્રિય બનેલા ટીવી શો કુંડલી ભાગ્યમાં માહિરાના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી સ્વાતિ કપૂરે આ શો છોડી દીધો છે. આ શોમાં માહિરા જ્યારથી લુથરા પરિવારમાં એન્ટર થઇ હતી ત્યારથી દરેક માટે મુસીબત લાવી છે. તે -પ્રીતાને દુખ પહોંચાડવા માટે કઇ પણ કરી શકે છે. જોકે નવા ટ્વિસ્ટમાં તેણે લુથરા પરિવારથી દૂર થવું પડી રહ્યું છે. આ વિશે વાત કરતાં સ્વાતિએ કહ્યું હતું કે 'માહિરાની મુસાફરી ખૂબ સુંદર રહી છે. સતત બે વર્ષ સુધી આ શોમાં કામ કરવું મને ગમ્યું છે. મને ખબર જ નહોતી કે માહિરા જેવું પાત્ર મારી જિંદગીનો એક ભાગ બની જશે, પરંતુ નસિબથી મને આ પાત્ર મળ્યું. મેં લૂક ટેસ્ટ કે ઑડિશન પણ આપ્યું નહોતું છતાં હું પાત્ર માટે એકદમ બરાબર ફીટ બેસી ગઇ હતી. મજાની વાત એ હતી કે માહિરાના પાત્રના નેગેટિવ અને પોઝિટિવ એમ બંને શેડ હતાં. છેક સુધી મને આ પાત્ર ભજવવાની મજા આવી છે. સમગ્ર ટીમે મને છેક સુધી સહકાર આપ્યો છે. ફરી કંઇક ટ્વિસ્ટ આવે તો હું ફરીથી માહિરા તરીકે આ શો સાથે સામેલ થવા ઉત્સુક છું.

(9:54 am IST)