Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કેદારનાથના નિર્દેશક અભિષેક કપૂરે વાસુ ભગનાનીને નોટિસ મોકલી

મુંબઈ: સુશાંત સિંઘ રાજપૂત અને સારા અલી ખાનને મુખ્ય ભૂમિકામા ચમકાવતી ફિલ્મ કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂરે ટોચના ફિલ્મ સર્જક કમ વિતરક વાસુ ભગનાનીને કાયદેસરની નોટિસ મોકલી હોવાનંુ જાણવા મળ્યું હતું. બન્યું એવું કે વાસુએ એક અખબારી ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે ફિલ્મ કેદારનાથના વૈશ્વિક વિતરણના હક્કો મારી પાસે છે. એટલે અભિષેક અને રોની સ્ક્રૂવાલા ચમક્યા હતા અને તેમણે વાસુને નોટિસ મોકલી હતી. અભિષેકે કહ્યું હતું કે આ ફિલ્મના તમામ રાઇટ્સ મારા બેનર ગે ઇન ધ સ્કાય અને રોનીના બેનર આરએસવીપી કને છે. તમે મિડિયા સમક્ષ ખોટો દાવો શી રીતે કરી શકો ? વાસુ અને પ્રેરણા અરોરાના બેનર ક્રી અર્જ સાથે અભિષેકનો વિવાદ છેલ્લા થોડાક મહિનાથી ચાલી રહ્યો છે અને અભિષેકે અગાઉ પ્રેરણાને પણ કોર્ટમાં ઘસડી હતી કે ક્રી અર્જ માણસોને સમયસર પગાર અને ભથ્થાં ચૂકવતા નથી એટલે ફિલ્મ મોડી પડી રહી છે. ત્યારબાદ અભિષેકે પ્રેરણાને ફિલ્મની ભાગીદારીમાંથી છૂટી કરી હતી. આમ તો આ વિવાદનો અંત થોડા દિવસ પહેલાં આવી ગયો હતો પરંતુ વાસુએ મિડિયા સમક્ષ કરેલા દાવાથી ફરી અભિષેક ઉશ્કેરાયો હતો અને હવે એણે કાનૂની નોટિસ ફટકારી હતી.

(4:12 pm IST)