Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

જાર્જ ફર્નાડિજ પર બનશે બાયોપિક

મુંબઈ: શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના જીવન પર બાયોપિક નું નિર્માણ કરનાર સંજય રાઉતે હવે સ્વ. જાર્જ ફર્નાડિજ પર બાયોપિક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અત્યરે બોલીવુડમાં રાજનેતાઓને લઈને ફિલ્મો બની રહી છે. ઠાકરે સિવાય  પૂર્વ પીએમ મનમોહન સિંહ પર પણ ફિલ્મ બની છે. તે સિવાય હમણાં પીએમ નરેન્દ્ર મોદી પર પણ બાયોપિક બની રહી છે જેનું શૂટિંગ ચાલુ થઇ ગયું છે. લાંબા સમયની બીમારી પછી પૂર્વ રક્ષામંત્રી અને મજદૂર નેતા જોર્જ નું ગઈ કાલે દિલ્હીમાં નિધન થયું છે. સંજય રાઉતે કહ્યું કે આ બાયોગ્રાફીમાં 50ના દાયકન્મા મુંબઈ શહેરના મજુરની હાલતથી લઈને ટાઇમર્જન્સી સામે જોર્જે કરેલ સંઘર્ષની વાતો આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે. 

(5:18 pm IST)