Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

તૂટી ગયા સંસ્કારી વહુ કુમકુમના લગ્ન, ડિવોર્સ માટે અરજી ફાઇલ કરી

૧૦ વર્ષના દાંપત્યજીવનનો અંત

મુંબઇ તા.૨૯ : સ્ટાર પ્લસ પર કુમકુમ સિરીયલથી લોકપ્રિયતા મેળવનાર જૂહી પરમારના ચાહકો માટે એક દુઃખદ સમાચાર છે. ટીવી સ્ટાર સચિન શ્રોફ સાથેના તેના ૧૦ વર્ષના દાંપત્યજીવનનો દુઃખદ અંત આવ્યો છે. સચિન અને જૂહી બાન્દ્રા ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી ફાઈલ કરવા પહોંચ્યા હતા.

સપ્ટેમ્બર મહિનાથી જ જૂહી અને સચિન વચ્ચે મતભેદોનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. બંનેએ સહમતિથી ડિવોર્સ ફાઈલ કર્યા છે. અને આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ જાય તે માટે બંનેના પ્રયત્ન ચાલુ છે. આ ઉપરાંત ડિવોર્સ માટેની શરતો અંગે પણ બંને વચ્ચે સહમતિ સધાઈ છે.

જો કે દીકરી સમૈરાની કસ્ટડી કોને મળશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. મોટાભાગે જૂહીને જ દીકરીની કસ્ટડી મળશે.

એકબીજાને ડેટ કર્યા પછી ફેબ્રુઆરી ૨૦૦૯માં પરણી જનાર જૂહી અને સચિન છેલ્લા એક વર્ષથી જુદા જુદા જ રહેતા હતા. તેમના લગ્ન પણ ખૂબ ધામધૂમથી જયપુરના એક પેલેસમાં કરવામાં આવ્યા હતા. જયપુરના સૌથી આલીશાન ૫૦ લગ્નોમાં જૂહી-સચિનના લગ્નનો સમાવેશ થાય છે.

જૂહી અને સચિન વચ્ચે પડેલી દરારને પૂરવા માટે તેમના પરિવારજનો અને મિત્રોએ દ્યણો પ્રયત્નો કર્યો હતો પરંતુ તેમની વચ્ચે મતભેદો ઓછા કરી શકાયા નહતા.

જૂહીના શો કર્મફળદાતા શનિની ઈવેન્ટમાં સચિનની ગેરહાજરી બાદ જૂહી-સચિનના મતભેદોની વાત મીડિયા સમક્ષ આવી હતી.૨૦૧૧માં પુત્રી સમૈરાના અવતરણ પછી આ બંને વચ્ચે બધુ ઠીક થઈ ગયુ હોય એવુ લાગતુ હતુ પરંતુ ત્યાર પછી પણ તેમનુ ગાડુ લાંબુ નહતુ ગબડ્યુ. તેઓ શા માટે છૂટા પડી રહ્યા છે તે પાછળનું ચોક્કસ કારણ કોઈ જાણતુ નથી. જો કે સચિને એક વાર મીડિયા સમક્ષ કહ્યું હતુ કે તેને જૂહીનો ગુસ્સા વાળો સ્વભાવ પસંદ નથી કારણ કે તે પોતે ઘણો શાંત સ્વભાવ ધરાવે છે.(૨૩.૧૩)

(3:23 pm IST)