Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ટીવી પરદે આવી રહ્યા છે કન્હૈયા

ટીવી પરદે વધુ એક નવો શો ‘જય કન્હૈયા લાલ કી’ આવી રહ્ના છે. સ્ટાર ભારત પર પહેલી જાન્યુઆરીથી આ શો શરૂ થશે. જેમાં મસ્તી, મનોરંજન અને પ્રેમનો ત્રિવેણી સંગમ છે. નિર્માતા કહે છે આ શોમાં અનોખી કહાની છે. જે જીવનની વાસ્તવિકતાઓને આગળ કરે છે અને મુશ્કેલીઓને સરળ બનાવી દે છે. ચોધરી પરિવારના જાનકીનાથના ઘરની કહાની છે. જાનકીનાથ ખુશખુશાલ વ્યક્તિત્વ ધરાવે છે તો તેની પોત્રી ડોલી ખુબ જ ગુસ્સાખોર છે. આ પરિવારમાં કન્હૈયાની એન્ટ્રી થતાં જ પરિવારમાં ખુશીઓનો સાગર છલકાય છે. બંગાળી શો ભોજ ગોબિંદો પરથી આ શો બનાવાયો છે. શોમાં કન્હૈયાનો રોલ વિશાલ વશિષ્ઠ નિભાવી રહ્ના છે તો બંગાળી અભિનેત્રી શ્વેતા ભટ્ટાચાર્ય ડોલીના રોલમાં છે. શ્વેતા સાત વર્ષથી બંગાળી સિનેમામાં કામ કરે છે. તેને સરખુ હિન્દી પણ આવડતું ન હોઇ આ શો તેના માટે પડકાર છે.

(9:02 am IST)