Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બહેન અંશુલને મળી રહેલ બળાત્કારની ધમકી સામે ગુસ્સે થયો અર્જુન કપૂર

મુંબઈ: જ્હાનવી કપૂરે મંગળવારે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે એની મોટી બહેન અંશુલાને કોફી વિથ કરણ-૬ને કારણે ધમકીઓ મળી રહી છે. હકીકતમાં જ્હાનવી કપૂર અને અર્જુન કપૂર કરણ જોહરના ચેટ શોમાં ગયાં હતાં, જ્યાં એક ગેમ જીતવા જ્હાનવીએ અંશુલાને ફોન કર્યો. જોકે અંશુલા એનો જવાબ આપી શકતા જ્હાનવી અર્જુન સામે હારી ગઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં મુદ્દે અંશુલાને બળાત્કારની પણ ધમકી અપાઈ હતી. આથી ગુસ્સે ભરાયેલા અર્જુન કપૂરે ગુસ્સો ઠાલવતાં લખ્યું કે, શોમાં જે બન્યું એના માટે અંશુલાને વચ્ચે ઘસડવાની જરૂર નથી.

(6:01 pm IST)