Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અભિનેત્રી કાજોલની માતા તનૂજાની તબિયત લથડી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ ;અજય દેવગણના પિતા વીરુ દેવગણના મૃત્યુ બાદ દેવગણ પરિવાર હજી વીરુ દેવગનની ઉદાસીનતામાંથી બહાર પણ નહોતું નીકળ્યું, ત્યાં બીજે દિવસે કાજોલની માતા અભિનેત્રી તનુજાની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ. જેના કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે  તનુજાને મંગળવારથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યાં કાજોલ ઘણી વખત તેમની ખબર કાઢવા લીલાવતી જતી નજરે પડી. હજી બીમારી વિશે વધુ માહિતી સામે નથી આવી. લીલાવતીના ડૉક્ટરો પણ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી દર્દીઓ વિશેની માહિતી આપવાનું ટાળી રહ્યા છે.

(10:56 pm IST)