Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

'એ મેરા ઇન્ડિયા 4'થી ટીવી પર કમબેક કરશે આ કોમેડિયન

મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેક એક વાર ફરી દર્શકોને હસાવવા માટે ટીવી પરદે કમબેક કરી રહ્યો છે. અભિષેક આ વખતે એ મેરા ઇન્ડિયા 4થી ટીવી પરદે કમબેક કરી રહ્યો છે. જેનું પ્રસારણ હિસ્ટ્રી ટીવી પર થશે. જેમાં દેશના જુદા જુદા શહેરોની અલગ અલગ પ્રકારની કહાની રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ચોથી સીઝનનું પ્રસારણ હિસ્ટ્રી ટીવી 18 પર થશે.

અભિષેકે આ શૉ સાથે જોડાયા હોવાની વાત કરતા કહ્યું કે હું આ શો સાથે જોડાઈને ખુબ ખુશ છું કારણ કે દરેક શૂટ વખતે મને ભારત વિષે એક નવી વાત જાણવા મળે છે. જેના વિષે જાણીને હું મંત્રમુગ્ધ થઇ જાવ છું. અને મારા માટે આ ગર્વની વાત છે કે મને દેશથી જોડાયેલ અનેક માહિતી જાણવા મળે છે.

(4:54 pm IST)