Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

હું અભિનેતા પછી બન્યો પહેલા હું ગાયક છું: દિલજિત દોસાંજ

મુંબઇ:  પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે એક મુલાકાતમાં કહ્યું હતું કે સંગીત કાયમ મારો પ્રથમ પ્રેમ રહેશે. અભિનેતા તો હું પછી બન્યો. પહેલાં હું ગાયક હતો. 'કોઇ પણ વ્યક્તિના મનમાં પોતાને શું જોઇએ છે અથવા પોતે શું કરવા માગે છે એ બાબતની પ્રાયોરિટી (અગ્રતાક્રમ) સ્પષ્ટ હોય તો બે અલગ અલગ બાબત વચ્ચે સમતુલા જાળવી શકે છે, ' એમ દિલજિતે કહ્યું હતું.દિલજિતના નવા સિંગલ આલ્બમ જિંદ માહીના લોંચિંગ પ્રસંગે દિલજિતે કહ્યું કે સંગીત મારા જીવનમાં કદી બેકસીટ પર નહીં હોય. અભિનય ક્ષેત્રે આગળ વધવા માટે હું સંગીતને પાછળ નહીં રહેવા દઉં. સંગીત મારો પ્રથમ પ્રેમ છે અને સદા રહેશે. છેલ્લાં ચાર પાંચ વર્ષથી હું અભિનેતા તરીકે પંકાયો છું. સંગીત તો છેક બાળપણથી મારી સાથે છે. સદ્ભાગ્યે મને બંને ક્ષેત્રે સારી નામના મળી છે. હજુ તો મારે ઘણી લાંબી મજલ કાપવાની છે.એના આ સિંગલ આલ્બમની વિડિયો ક્લીપમાં એની સાથે ઓક્ટોબર ફેમ અભિનેત્રી બનિતા સંધુ ચમકી રહી છે. દિલજિતે કહ્યંુ કે બનિતા પંજાબી હોવાથી એ આ ક્લીપ માટે ફિટ હતી. બનિતા લંડનમાં રહે છે એટલે અમે લંડનમાં એનું શૂટિંગ કરવાના હતા.ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે તાજેતરમાં દિલજિત દોસાંઝને એક ફિલ્મ માટે સાઇન કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર ચમકવાનાં છે.

(5:15 pm IST)