Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પ્રતિક ગાંધીની ‘ભવાઇ' ૨૨ ઓકટોબરે રિલીઝ થશે

ફિલ્‍મમાં પ્રતીક ગાંધી ‘રાજા રામ જોશી'ના પાત્રમાં છે જ્‍યારે અંદ્રિતા રે ભજવી રહી છે ‘રાની'નું પાત્ર

મુંબઇ,તા. ૨૮: અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્‍મ ‘ભવાઇ', જે આવતી ૧ ઓકટોબરથી થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું. તેને નવી રિલીઝ તારીખ આપવામાં આવી છે. ફિલ્‍મ હવે ૨૨ ઓકટોબરે રિલીઝ કરાશે. મહારાષ્‍ટ્ર સરકારે રાજ્‍યમાં ૨૨ ઓકટોબરથી થિયેટરો અને નાટયગૃહો ફરી શરૂ કરવાની મંજૂરી આપી હોવાથી ‘ભવાઇ'ની તારીખ બદલવી પડી છે. ફિલ્‍મમાં પ્રતીક ગાંધી ‘રાજા રામ જોશી'ના પાત્રમાં છે જ્‍યારે અંદ્રિતા રે ભજવી રહી છે ‘રાની'નું પાત્ર. ફિલ્‍મમાં એક ડ્રામા કંપનીમાં કામ કરતા બે કલાકારની પ્રેમકથા તથા બંને જણને એમની રીલ લાઇય એમના રીયલ લાઇફમાં કેવી રીતે માઠી અસર કરે છે તે દર્શાવવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મનું શીર્ષક પહેલા ‘રાવણલીલા' હતું, પણ એને બદલીને ‘ભવાઇ' રાખવાની નિર્માતાઓને ફરજ પડી છે.
દિગ્‍દર્શક-નિર્માતા હાર્દિકર ગજ્જરે કહ્યુ છે કે અમારૂ ફિલ્‍મ નિર્માણ ગૃહ એક નામાંકિત અને કાયદાનું પાલન કરનારૂં છે. અમે કયારેય સરકારના નિયમો અને ગાઇડલાઇન્‍સનું ઉલ્લંઘન નહીં કરીએ. અમે સેન્‍સર બોર્ડને તમામ જરૂરી દસ્‍તાવેજો સુપરત કરી દીધા છે. અમારી ફિલ્‍મને ‘યૂ' સેન્‍સર સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું છે. નિર્માણા જયંતીલાલ ગડાએ કહ્યુ કે રાજ્‍યમાં થિયેટરો ફરી શરૂ કરવાના મહારાષ્‍ટ્ર સરકાર અને મુખ્‍ય પ્રધાન ઉધ્‍ધવ ઠાકરે નિર્ણયને અમે આવકારીએ છીએ અને અમારી ફિલ્‍મની તારીખને મુલતવી રાખીને હવે ૨૨ ઓકટોબરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.


 

(10:29 am IST)