Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ફરી સિરીયલના શુટીંગમાં જોડાઇ ગયો નમિશ તનેજા

ટીવી અભિનેતા નમિશ તનેજાને તેના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થવાને કારણે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું. તેણે કહ્યું હતું કે મારા સ્વજનો સંક્રમિત થયા એ સમય મારા માટે તણાવપુર્ણ હતો. હું અલગ ફલેટમાં રહેવા જતો રહ્યો હતો. મને શુભેચ્છકો, પ્રસંશકોએ સતત શુભકામના આપી હોઇ મારા માટે સકારાત્મકતા ઉભી થઇ હતી. મારા સ્વજનો પણ હવે સાજા થઇ ગયા છે અને હું આ માટે મારા પ્રશંસકોનો આભારી છું. આઇસોલેશનનો મારો સમય સમાપ્ત થતાં જ હું ફરીથી એ મેરે હમસફર શોના શુટીંગમાં જોડાઇ ગયો છું. શોમાં હવે એક પછી એક અનેક ટ્વિસ્ટ આવવાના છે. મને આશા છે કે દર્શકોને આ શો ખુબ પસંદ પડશે. એ મેરે હમસફર શો મહાત્વાકાંક્ષી યુવતિ વિધી શર્માની કહાની છે જે અનેક પડકારો હોવા છતાં આઇએએસ અધિકારી બનવા આગળ વધે છે. નમિશ તનેજા દંગલના આ શોમાં વેદ કોઠારી નામનો મહત્વનો રોલ નિભાવી રહ્યો છે.

(9:29 am IST)