Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રિતેશ દેશમુખની ' મરજાવા ' રિલીઝ પહેલા દંપતીના ગજબના ટ્વીટ

રિતેશે ટ્વીટ કર્યું કે 'તુ નાયક તો મૈં ખલનાયક, તુ શાણાં તો મૈં દેઢ શાણાં.'જેનેલિયાએ કહ્યું 'ખરાબ હોય કે સારુ હોય મારુ દિલ હંમેશાં તારા પાસે જ રહેવાનું છે. હાય મૈં મરજાવાં.

મુંબઈ : બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની ફિલ્મ મરજાવા નવેમ્બરમાં રિલીઝ થનાર છે ત્યારે જેનિલિયા દેશમુખે તેનાં હઝબન્ડ રિતેશ દેશમુખ માટે કહ્યું છે કે ખરાબ હોય કે સારુ હોય તેનું દિલ હંમેશાં રિતેશ પાસે જ રહેવાનું છે.

  રિતેશની 'મરજાવાં' બાવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રિત સિંહ અને તારા સૂતરિયા જોવા મળશે. આ ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે. 'મરજાવાં'નું ટ્રેલર ટ્‍‍વિટર પર શૅર કરીને રિતેશે ટ્વીટ કર્યું હતું કે 'તુ નાયક તો મૈં ખલનાયક, તુ શાણાં તો મૈં દેઢ શાણાં.'

રિતેશનાં આ ટ્વીટ પર રિપ્લાઇ આપતાં જેનિલિયાએ ટ્વીટ કર્યું હતું કે 'ખરાબ હોય કે સારુ હોય મારુ દિલ હંમેશાં તારા પાસે જ રહેવાનું છે. હાય મૈં મરજાવાં.'

(10:08 pm IST)