Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ભુલોનું પરિવર્તન ન કરાયઃ કપિલ

કોમેડી કિંગ કપિલ શર્માનો શો દર અઠવાડીએ ધમાલ મચાવે છે. દર્શકો આ શોની રાહ જોતા હોય છે. કપિલ શર્મા સાથે કૃષ્ણા, કિકૂ શારદા સહિતની ટીમ દર્શકોને હસાવતી રહે છે. તાજેતરમાં કપિલ શર્મા અને બીજા કલાકારોને પુછાયું હતું કે સુનિલ ગ્રોવર શોમાં નથી તો કેવું લાગે છે? આ સવાલ સામે બધાએ એક અવાજે કહ્યું હતું કે શોમાં આવેલા બદલાવને કારણે બધાને આગળ વધવામાં મદદ મળી છે. કપિલે કહ્યું હતું કે મેં મારી ભુલોમાંથી ઘણું શીખ્યું છે, આ કારણે હું વધુ પરિપકવ થઇ ગયો છે. મુશ્કેલીઓ બધાના જીવનમાં આવતી હોય છે, પણ એમાંથી શીખવાની જરૂર હોય છે. આ ભુલોનું પુનરાવર્તન કરવું જોઇએ નહિ. કિકૂએ કહ્યું હતું કે આ શોએ વિશ્વભરમાં સકારત્મકતા આપી છે. એકાદ ઘટનાને પકડીને બેસી રહેવું ઠીક નથી.

 

(10:00 am IST)