Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બે વખત ના કહી દીધા પછી રાહુલે શો સ્વીકાર્યોઃ ૧૦૦ એપિસોડ પુરા

ટીવી કલાકારો સાથે એવું ઘણીવાર બને છે કે તેઓ કોઇ એક શો માટે ના કહી દે છે છતાં આ શો તેની પાસે વારંવાર આવતો રહે છે. 'પ્યાર કી લુકાછુપી'માં કામ કરી રહેલા રાહુલ શર્મા સાથે પણ આવું જ થયું છે. તેણે આ શો માટે એક વાર નહિ પણ બબ્બે વખત ના કહી દીધી હતી. આમ છતાં તેને સતત ઓફર થતાં તે આ શોમાં જોડાયો હતો. રાહુલ પ્યાર કી લુકાછુપીમાં સાર્થકનું પાત્ર ભજવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે મેં આ શોમાં કામ કરવાની અગાઉ બે વખત ના પાડી દીધી હતી. પરંતુ આ શોની ટીમે ફરીથી મને ઓફર કરી હતી અને બીજા શો ન કરી આ શોમાં કામ કરવા અનુરોધ કર્યો હતો. મેં વિનમ્રતાથી બીજી વખતની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. પરંતુ ટીમે મને એકવાર કહાની સાંભળવા અને રૂબરૂ મળવા કહેતાં મેં કહાની સાંભળવાનો નિર્ણય કર્યો હતો. એ પછી મારો લૂક ટેસ્ટ લેવાયો હતો અને પ્રોડકશન ટીમે મને સાઇન કરી લીધો હતો. પ્યાર કી લુકાછુપી શોને ૧૦૦ એપિસોડ પુરા કરી લીધા છે. રાહુલ કહે છે મારા માટે આ શો આશિર્વાદ બન્યો છે. આ શોના સમગ્ર સ્ટારકાસ્ટ અને ક્રુ ટીમ અદ્દભુત છે. આ શોમાં સાર્થક, અંગદ અને સૃષ્ટિના પ્રણય ત્રિકોણની વાત છે. દંગલ ચેનલ પર સાંજે સાત કલાકે શો પ્રસારીત થાય છે.

(9:46 am IST)