Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

એક થી રાની એક થા રાવન... સીરીયલમાંથી મુખ્ય અભિનેત્રી થશે રિપ્લેસ

મુંબઇ:ટીવી શો 'એક થી રાની એક થા રાવન'માં ટ્વિસ્ટ આવશે. તો સ્ટોરીની સાથોસાથ સ્ટારકાસ્ટમાં પણ બદલાવ લાવવામાં આવશે. સિરીયલમાં મુખ્ય રોલ અભિનેત્રી મનુલ ચુડાસમાને રિપ્લેસ કરી તેની જગ્યાએ બીજી કોઇ અભિનેત્રીને લાવવામાં આવશે. નિર્માતાઓને રોલ કોઇ સ્ટાઇલીશ અને ગ્લેમરસ અભિનેત્રી નિભાવે તેવી ઇચ્છા છે. મનુલ માટે ફિટ નહિ હોવાનું કહેવાય છેનિર્માતા સુજાના ધઇએ કહ્યું હતું કે મનુલ સામે કોઇ વાંધો નથી. પરંતુ શો સંપુર્ણ રીતે નવો બનાવવામાં આવી રહ્યો છે. માટે મનુલને બદલવી જરૂરી છે. મનુલ રાતોરાત પોતાને હટાવવામાં આવવાથી હેરાન છે. તેણે કહ્યું હતું કે હું મુંબઇની છોકરી છું અને અહિના વાતાવરણમાં ઉછરી છું. હું હેરાન છું કે હું કઇ રીતે સ્ટાઇલીશ નથી દેખાતી. મને ટૂંકા અને મોડર્ન કપડા પહેરવામાં પણ કોઇ વાંધો નથી.

(5:09 pm IST)