Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પીકેની સિક્વલને લઈને હિરાણીએ કહ્યું કંઈક આમ..............

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક રાજ કુમાર હિરાણીએ કહ્યું કે પીકેની સિક્વલ બનાવવાનો તેનો હમણાં કોઈ ઈરાદો નથી. નિર્દેશક રાજ કુમાર હિરાણીએ બૉલીવુડ સ્ટાર આમરી ખાન અને અભિનેત્રી અનુષ્કા શર્માને લઈને સુપરહિટ ફિલ્મ પીકે બનાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી સફળતા મેળવી હતી. પીકેના અંતિમ સીનમાં આમિર ખાન પાછો તેના ગ્રહ પર જતો રહે છે અને પછી એલિયન બનીને રણબીર કપૂર એન્ટી કરે છે. આ સીનને જોતા એમ લાગે છે કે હીરાની આ ફિલ્મની સિક્વલ જરૂર બનાવશે. રાજકુમાર હિરાણીએ કહ્યું કે ફિલ્મમાં રણબીર કપૂર નજરે પડશે કે બીજો કોઈ કલાકાર જોવા મળશે. આ ફિલ્મનો અંત એલતા માટે એવો રાખ્યો છે કે લોકોને આશા રહે કે ભવિષ્યમાં આ ફિલ્મ બનશે અને પીકે ફરીથી જોવા મળશે.

(4:28 pm IST)