Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લોકડાઉનમાં ભૂખ્યાઓને ભોજન આપી રહી છે આ ભોજપુરી એકટ્રેસ

ભુખથી બેહાલ લોકો માટે હાથ લંબાવ્યો

મુંબઈ, તા. ૨૮: કોરોના વાયરસમાં લોકડાઉનના કારણે લોકોને ખૂબ જ અસર પહોંચી છે અને ઘણાં દિવસોથી કામ ન મળવાના કારણે ભૂખથી મરી રહ્યાં છે. હાલ લોકોની મદદ માટે ભોજપુરી એક્ટ્રેસ અંજનાસિંહ મદદ માટે સામે આવીછે.

અંજનાસિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરરતી અને ભૂખ્યા બાળકોને ભોજન આપતી જોવા મળી છે. તેમજ એક્ટ્રેસ ભોજન સાથે નાના બાળકોમાં માસ્કનું પણ વિતરણ કર્યું હતું. લોકોને સામાન આપતી વખતે અંજનાસિંહે સમગ્ર રીતે સોશિયલ ડિસ્ટન્ટસનું પાલન કર્યું હતું. આ જ સાથે જ તે ચહેરા પણ માસ્ક લગાવીને જ જોવા મળી હતી.

અંજનાસિંહે તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરતાં 'જય શ્રીરામ'નું કેપ્શન આપ્યું છે. આ તસવીરમાં તે એક આધેડ મહિલાને ભોજનનું પેકેટ આપતા અને કશુંક સમજાવતી જોવા મળે છે. અંજનાસિંહની આ તસવીરો જોઈને ફેન્સ પણ તેના કામના વખાણ કરી રહ્યા છે. તેની પોસ્ટને એકબીજા સાથે શેર પણ કરી રહ્યાં છે.

(4:01 pm IST)