Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

૨૦ વર્ષ બાદ સંબંધોમાં પડી તિરાડ : મેહર અને અર્જુન રામપાલના થશે છૂટાછેડા

રિતિક અને સુજૈનના તલાક પછીથી બોલિવૂડમાં એકટર અર્જુન રામપાલ અને મેહર અલગ થવાના હોવાની ખબરો સામે આવી રહી હતી. ખબરો તો એવું પણ કહે છે કે રિતિકની વાઈફ સુજૈન અને અર્જૂનની દોસ્તીના કારણે અર્જુન અને તેની પત્ની વચ્ચે તિરાડ પડી ગઈ છે. પરંતુ અર્જુન રામપાલ અને તેની પત્ની હંમેશા આ ખબરોનું ખંડન કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે અર્જુન અને મેહરે એક ઓફીશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં સાફ થઈ ગયું છે કે હવે બંનેના રસ્તાઓ અલગ છે.

જો કે આ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે ખુબ સારી રીતે કહ્યું કે એક બીજા સાથેના સંબંધો હવે પૂર્ણ થઈ શકે છે. પરંતુ એક પરિવારની જેમ પ્રેમ અને ઈજ્જત છે તે હંમેશા રહેશે.એકટર તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં તેને કહ્યું, અમને લાગે છે કે હવે સમય આવી ગયો કે છે અમારે અલગ અલગ રસ્તાઓ પર જવુ પડશે. જણાવી દઈએ કે અર્જુન અને મેહર ૨૦ વર્ષથી સાથે હતા. તેમને ૨ દિકરી છે. જેમાં એકનું નામ માહિકા છે જે ૧૬ વર્ષની છે. જયારે બીજી દીકરીનું નામ માયરા છે જે ૧૩ વર્ષની છે.

(4:12 pm IST)