Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

'ગે' નું પાત્ર ભજવવા પહેલાં ઇન્ડસ્ટ્રીના લોકોએ મને વિચારવાની સલાહ આપી હતી : આયુષ્માન

આગામી ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં તે સજાતિય સંબંધ ધરાવતો જોવા મળશે.

મુંબઈ : અભિનેતા આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે બૉલીવુડના ઘણાં લોકોએ આ ફિલ્મને કરવા વિશે ફરી સો વાર વિચારવા માટે કહ્યું હતું. તેની આગામી ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં તે સજાતિય સંબંધ ધરાવતો જોવા મળશે.

 આ ફિલ્મ દ્વારા તે હોમોસેક્સ્યુઅલ વિશે સોસાયટીમાં જાગરૂક્તા ફેલાવી રહ્યો છે. આ વિશે લોકો વાત કરવાનું પણ ટાળે છે ત્યારે આયુષ્માન એના પર ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મને તે પાછો તેની સંપૂર્ણ ફૅમિલી સાથે થિયેટરમાં જોવા જવાનો છે. આયુષ્માને અત્યાર સુધીમાં સતત સાત હિટ ફિલ્મ આપી છે અને એવું લાગી રહ્યું છે કે તે આઠમી ફિલ્મ પણ આપવા જઈ રહ્યો છે કારણ કે તેની ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રિસપોન્સ મળી રહ્યો છે.

  આયુષ્માન માટે તેની ફૅમિલી હંમેશાં સપોર્ટીવ રહ્યું છે. તેના દરેક નિર્ણયમાં તેના પરિવારે તેને સાથ આપ્યો છે અને આ ફિલ્મ તેના કરીઅરમાં સૌથી મહત્ત્વની હોવાથી તેણે ફૅમિલી સાથે એને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે 'આજે હું જે કંઈ પણ છું એ મારી ફૅમિલીને કારણે છે. તેઓ હંમેશાંથી મારા માટે સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ રહ્યાં છે અને મારી લાઇફમાં તેમણે હંમેશાં નિર્ણય લેવામાં મને મદદ કરી છે. મેં જ્યારે બૉલીવુડમાં કરીઅર બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ તેઓ મારી પળખે ઊભા હતા. મેં જ્યારે નક્કી કર્યું કે મારી ફિલ્મમો ટેબૂ વિષય પર વાતો કરશે જેવી કે 'વિકી ડૉનર', 'શુભ મંગલ સાવધાન' અને 'બાલા' બાદ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' ત્યારે મારા ફૅમિલીએ મને સંપૂર્ણ સપોર્ટ કર્યો હતો. સોસાયટી શું વિચારશે એ વિશે તેમણે નહોતું વિચાર્યું.'

(12:55 pm IST)