Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટ્વિન્કલ ખન્નાના પહેરેલા કપડાં અને જ્વેલેરીની થશે નીલામી

મુંબઈ:અભિનેત્રી કૉલમિસ્ટ ટ્વીન્કલ ખન્નાના એક જાહેરાત માટે પહેરેલા પોષાક અને ઝવેરાતનું લીલામ કરવામાં આવશે અને એની જે આવક થશે એક એનિમલ વેલફેર ટ્રસ્ટને આપી દેવામાં આવશે એવી માહિતી મળી હતી. બોલિવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી તથા હાલ સુપર સ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલે પીસી જ્વેલર્સના ઝવેરાતની એક એડ ફિલ્મ માટે પહેરેલા પોષાક અને દાગિનાના લીલામની જાહેરાત કરાઇ હતી. જાહેરાતમાં એના અભિનેતા પતિ અક્ષય કુમાર પણ જોડાયા હતા. લીલામ દ્વારા થનારી આવક પંચગનીમાં આવેલા જેનિસ સ્મિથ એનિમલ વેલફેર ટ્રસ્ટને દાન રૃપે આપી દેવાની જાહેરાત ટ્વીન્કલે કરી હતી.

(6:01 pm IST)