Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાની મુખરજીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કરતા રણવીરના કુરતા સાથે સરખામણી થઇઃ બંને સેલિબ્રિટીઓના એકસરખા આઉટફીટ ડિઝાઇનના કપડાની આકરી ટીકા

નવી દિલ્હી : અભિનેત્રી રાની મુખરજી હાલમાં પોતાની આગામી ફિલ્મ મર્દાનીના કારણે ચર્ચામાં છે. આમાં તે પોલીસ અધિકારીનો રોલ ભજવી રહી છે. જોકે હાલમાં રાની ટ્રોલર્સનો ટાર્ગેટ બની હતી અને એનું કારણ છે તેણે પહેરેલો ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇ કરેલો કુરતો. હકીકતમાં રણવીર સિંહે તાજેતરમાં તેની પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન વખતે જે કુરતો પહેર્યો હતો એવો જ રાનીએ પહેર્યો હતો અને પછી ફોટોશૂટ કરાવ્યું હતું.

ડિઝાઇનર સબ્યસાચીએ જેવી રાનીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તરત લોકો તેના અને રણવીરના કુરતાની સરખામણી કરવા લાગ્યા. કેટલાકે તો બંને સેલિબ્રિટીઓને એકસરખા આઉટફિટ ડિઝાઇન કરીને આપવા બદલ સબ્યસાચીની આકરી ટીકા કરી હતી.

હાલમાં તો રાની પોતાની આગામી ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. લગ્ન પછી રાની બહુ સમજી વિચારીને ફિલ્મો કરે છે. રાનીએ યશ ચોપડાના દિકરા આદિત્ય સાથે લગ્ન કર્યા છે અને તેમને આદિરા નામની એક દીકરી પણ છે. રાની આ પહેલાં કુછ કુછ હોતા હૈં, બંટી ઔર બબલી, બ્લેક, તલાશ, મુઝ સે દોસ્તી કરોગે, કભી અલવિદા ન કહના, હર દિલ જો પ્યાર કરેગા તેમજ બિચ્છુ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

(4:48 pm IST)