Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અભિનેતા કિરણ કુમારે કોરોનાને મ્હાત આપી 74 વર્ષીય અભિનેતા ઘરે જ આઇસોલેટ હતા

કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

અમદાવાદ : ટીવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણ કુમારે કોરોનાને મહાત આપી છે  કિરણ કુમારે જ્યારે કેસ પોઝિટિવ આવ્યો હતો ત્યારે તેમને જાતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છે. જે બાદ 74 વર્ષના કિરણ કુમાર સેલ્ફ ક્વૉરન્ટીન થયા હતા.

14 મેના રોજ કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દીધા હતા. તેઓએ પોતાના પરિવારથી પણ અંતર રાખ્યું હતું. તેઓ બે માળના બંગલામાં રહેતા હોવાથી ઉપરના ફ્લોર પર તેમણે બધી વ્યવસ્થા ગોઠવી હતી. જે બાદ તેઓ 10 દિવસ સુધી ક્વૉરન્ટીન રહ્યા હતા. 25 મેના રોજ તેમનો બીજો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

(1:24 pm IST)