Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હથોડા ત્યાગી અભિષેક બેનર્જી ફરી કોમેડી કરશે

રિલીઝ થયાની સાથે જ હિટ થઇ ગયેલી અને વિવાદ પણ જગાવી ચુકેલી વેબ સિરીઝ પાતાલ લોક તેના પાત્રોને કારણે પહેલેથી જ ખુબ ચર્ચામાં હતાં. આ સિરીઝમાં હથોડા ત્યારગીનું પાત્ર પણ ખુબ વખાણાયું છે. આ રોલ અભિનેતા અભિષેક બેનર્જીએ નિભાવ્યો છે. અભિષેક અગાઉ સ્ત્રી, ડ્રીમ ગર્લ સહિતની ફિલ્મો થકી દર્શકોના દિલી જીતી ચુકયો છે. સિરીઝમાં તેનું નામ વિશાલ ઉર્ફ હથોડા ત્યાગી નામ છે. જો કે અભિષેક કહે છે કે બધા ભલે આ પાત્રના વખાણ કરતાં હોય પણ મારી માતા અને પત્નિએ તો આ પાત્ર જોવાની જ ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે પાતાલ લોકની ટીમને હથોડા ત્યાગીનું પાત્ર ખુબ જ ડરામણુ બનાવવું હતું અને તેમાં સફળતા પણ મળી છે. બોલીવૂડમાં પ્રારંભે મને માત્ર કોમેડી ટાઇપ રોલ જ મળ્યા હતાં. પરંતુ પાતાલ લોકમાં જે પાત્ર ભજવવા મળ્યું તેનાથી એ સાબિત થયું છે કે હું આવા રોલ પણ નિભાવી શકુ છું. જો કે અભિષેક આગામી ત્રણ ફિલ્મોમાં ફરીથી કોમેડી કરતો દેખાશે.

(9:23 am IST)