Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોના કહેરના લીધે 'સત્યમેવ જયતે 2' રિલીઝ મોકૂફ

મુંબઈ: કોવિડ ફાટી નીકળવાના કારણે જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'સત્યમેવ જયતે 2' ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક મિલાપ ઝવેરીએ મંગળવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર આની ઘોષણા કરી હતી. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર રિલીઝ થવાની હતી, જે બોક્સ ઓફિસ પર સલમાન ખાનની 'રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર થઈ હતી.

(5:56 pm IST)