Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

તારક મહેતા ,,,,,શો માં દયાબેન આવશે પાછા :લાંબા ઘર્ષણ બાદ આખરૅ સમાધાન !!

પ્રોડ્યુસર આસિત મોદીની 30 દિવસની નોટિસની અસર :શોમાં પરત આવવા દિશા વાંકાણી તૈયાર

 

મુંબઈ :સોની સબનો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંમાં દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાંકાણી આખરે શો માં પાછા આવશે દિશા વાકાણી જ્યારથી મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે તે અંગે અટકળો ચાલી રહી હતી

 દરમિયાન એવી પણ ચર્ચા હતી કે દિશા વાકાણીના પતિ મયૂર પડિયા અને શોના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચે ખાસ્સુ ઘર્ષણ ચાલતુ હતું. પરંતુ હવે દિશા વાકાણીએ ફાઈનલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર આસિત મોદી સાથે સમાધાન કરવા મન બનાવી છે.
 
એક અહેવાલ મુજબ તાજેતરમાં એક એવોર્ડ શોમાં તારક મહેતાનો રોલ ભજવતા કલાકાર શૈલેષ લોઢાએ જણાવ્યું કે દયાબેન શોમાં પાછા ફરી શકે છે. તેણે કહ્યું કે, “આવશે, આવશે, દયાબેન ચોક્કસ આવશે. ધીરજના ફળ મીઠા હોય છે, ધીરજના ફળ દયાબેન હોય છે.
 
બીજી તરફ શોના પ્રોડ્યુસર્સે ઘણો લાંબો સમય દિશા વાકાણીની રાહ જોયા બાદ દિશા વાંકાણીને 30 દિવસનો નોટિસ પિરિયડ આપ્યો હતો.અને કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે જો તે 30 દિવસની અંદર અંદર સેટ પર હાજર નહિ થાય તો તેને શોમાં રિપ્લેસ કરી દેવામાં આવશે.ત્યારે નોટિસ પીરીયડની અસર થયાનું અને દયાબેન શોમાં પાછી ફરવા તૈયાર થઈ ગઈ છે.

(1:08 am IST)