Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજપાલ યાદવ સિકવલને કારણે અત્યંત ઉત્સાહિત

ભૂલભુલૈયા-૨નું શુટીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં અગાઉની ફિલ્મના કલાકારોમાંથી માત્ર રાજપાલ યાદવ જ રિપીટ થયો છે. આ કારણે રાજપાલ ખુબ જ ખુશ છે. બે દિવસ પહેલા કાર્તિક આર્યને ફિલ્મનું શુટીંગ એકવીસમીથી શરૂ થઇ ગયાનું જણાવી એક વિડીયો પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. રાજપાલે કહ્યું હતું કે હું ખુબ જ ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવાની તક મળતાં હું સોૈનો આભારી છું. દર્શકોએ મને અગાઉની ફિલ્મના મારા રોલ માટે ખુબ પસંદ કર્યો હતો. હવે અનિસ બાઝમી અને ભુષણ કુમારે મને ફરીથી તક આપી છે. મેં મારા ભાગના દ્રશ્યોનું શુટીંગ શરૂ કરી દીધું છે. કાર્તિક આર્યન, કિયારા અડવાણી, રાજપાલ યાદવ અને તબ્બુ સહિતના કલાકારો છે. જુની ભૂલભુલૈયામાં રાજપાલ યાદવે નટવર ઉર્ફ છોટે પંડિતનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તેના દેખાવ અને રોલને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. હવે તે સિકવલમાં પણ દર્શકોને ખુબ હસાવશે. રાજપાલ પાસે બોલે ચૂડીયા, કુલી નંબર-૧ અને હંગામા-૨ પણ સામેલ છે. ભૂલભુલૈયા-૨નું મોટા ભાગનું શુટીંગ લખનોૈમાં થવાનું છે. ઉપરાંત જયપુર, મુંબઇમાં પણ થોડુ શુટીંગ થશે.

(10:09 am IST)