Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હાઈ...લા.... કર્ણ બનું કે કૃષ્ણ? : આગામી ફિલ્મમાં પાત્રની ભૂમિકાને લઈને કન્ફ્યુ થયો આમિર ખાન

મુંબઇ: આમિર ખાન હાલ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાનનું શૂટિંગ કરી રહ્યો છે. પરંતુ તેના માટે તેની આગામી ફિલ્મ વધુ મહત્વની છે. આ ફિલ્મમાં તે કૃષ્ણ-કર્ણમાંથી કોની ભૂમિકા ભજવે તેનો નિર્ણય લઇ શકતો નથી. જોકે  'મહાભારતનું તેનું મનપસંદ પાત્ર કર્ણ છે. સૂત્રની વાત સાચી માનીએ તો ફિલ્મ 'મહાભારત બનાવાની યોજના થઇ રહી છે. જેને આમિર જ નિર્માણ કરવાનો છે.આ ફિલ્મનું દિગ્દર્શન સુપર સ્ટારના દિગ્દર્શક અદ્દૈત ચંદન કરશે. આમિર આ ફિલ્મમાં ક્યું પાત્ર ભજવે તેની અવઢવમાં છે.આ ફિલ્મની ઘણી ફ્રેન્ચાઇઝી બનાવાની પણ વાત છે. આમિરે આ ફિલ્મને કારણે જ રાકેશ શર્માની બાયોપિકમાં કામ કરવાનો નનૌયો ભણ્યો છે. તે હાલની ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને મહાભારત પર કામ કરવા વિચારે છે. આ એક મહત્વનો જાણીતો વિષય હોવાથી આમિર કોઇ કમી રહી જાય તેવું ઇચ્છતો નથી. જોકે તે પોતાના કામમાં વધુ પડતો ગંભીર છે અને તે આ ફિલ્મ માટે પણ મિ, પરફેકટનિસ્ટ સાબિત થશે તેવી લોકોને આશા છે.
 

(5:34 pm IST)