Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે મતભેદના કારણે ઇંશાઅલ્લાહ ફિલ્મ સલમાન ખાને છોડી દીધી હતીઃ હવે ૨૦૨૦માં ઇદ ઉપર નવી ફિલ્મ રિલીઝ થશે

નવી દિલ્હીઃ સલમાન ખાન અને સંજય લીલા ભલસાણીની ઇંશાઅલ્લાહ માટે એપિક રીયૂનિયન માટે ફેન્સ ખુબ ઉસ્તાહિત હતા. પરંતુ, ભાગ્યને તે મંજૂર નહતું. સલમાન અને સંજય વચ્ચે કેટલાક મતભેદને કારણે સલમાને આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ ચર્ચા હતી કે હવે ઈદ 2020 પર સલમાનની કઈ ફિલ્મ રિલીઝ થશે.

સ્પોટબોયે બોલીવુડ હંગામાના હવાલાથી લખ્યું- સલમાન ખાને બીજી એક્શન થ્રિલર ફિલ્મ 'રાધે' સાઇન કરી લીધી છે. આ ફિલ્મ કોરિયન મૂવીને અડેપ્ટેશન હશે રીમેક નહીં. આ કઈ કોરિયન ફિલ્મ છે તેના વિશે હજુ ખુલાસો થયો નથી. મહત્વનું છે કે સલમાન ખાનની ફિલ્મ ભારત પણ કોરિયન ફિલ્મની રીમેક હતી. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું.

બોલીવુડ હંગામાના સૂત્ર પ્રમાણે, દબંગ 3 બાદ રાધે આવશે. આ ફિલ્મ 2020 ઈદ પર રિલીઝ થશે. દબંગ 3 20 ડિસેમ્બર 2019ના રિલીઝ થઈ રહી છે. દબંગ 3ના રિલીઝ પહેલા સલમાન રાધેનો કેટલોક ભાગ શૂટ પણ કરી લેશે. રાધેને પણ પ્રભુદેવા ડાયરેક્ટ કરશે. દબંગ 3ને પણ પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યાં છે. પ્રભુદેવા અને સલમાન ખાન સ્ક્રિપ્ટને ફાઇનલ ટચ આપી રહ્યાં છે.

મહત્વનું છે કે આ પહેલા સલમાન ખાનની ફિલ્મ તેરે નામ અને વોન્ટેડમાં તેના પાત્રનું નામ રાધે હતું. બંન્ને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. દબંગ-3ની વાત કરીએ તો ફિલ્મમાં સલમાન ખાન સિવાય સોનાક્ષી સિન્હા અને સઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં છે. 

(6:01 pm IST)