Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પતિ સાહિલ સહગલથી અલગ થયા પછી છલકાયું કીર્તિ કુલ્હારીનું દર્દ

મુંબઈ: અભિનેત્રી કીર્તિ કુલ્હારી આ દિવસોમાં ફરી એકવાર ફરી પોતાની અંગત જિંદગીને લઈને સમાચારોમાં છે. અભિનેત્રીએ 1 એપ્રિલ 2021 ના ​​રોજ તેના ઇન્સ્ટા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે, તેણી અને તેના પતિ સાહિલ સહગલે એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે. જો કે, ત્યારે કીર્તિએ આ વિશે કોઈની સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ લગ્ન તૂટી ગયાના લગભગ 3 મહિના પછી તેણીએ હવે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેણે પોતાનાં લગ્ન બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. જેમાં તે સફળ થઈ શકી  ન હતી અને તેણી તૂટી ગઈ હતી.

(5:49 pm IST)