Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઈરફાન ખાનની તબિયતમાં સુધારો થયાની જાહેરાત કરી નિદેર્શક શૂજિત સરકારે

મુંબઈ:ટોચના ફિલ્મ સર્જક શૂજિત સરકારે જાહેર કર્યું હતું કે ટોચના અભિનેતા ઇરફાન ખાનની તબિયત ઘણી સુધારા પર છે. સારવારને સારો પ્રતિભાવ આપી રહી છે અને નજીકના ભવિષ્યમાં ઇરફાન ફરી કામ કરતો થઇ જશે. વર્ષના માર્ચમાં ઇરફાન વિશાલ ભારદ્વાજની સપના દીદીનું શૂટિંગ શરૃ કરવાનો હતો. દરમિયાન, એની તબિયત અચાનક બગડી હતી અને સ્થાનિક ડૉક્ટરે પહેલા કમળાનું નિદાન કર્યું હતું. પરંતુ કમળાની સારવારનું કોઇ પોઝિટિવ પરિણામ દેખાતાં ઇરફાને વધુ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા ત્યારે એવું નિદાન થયું હતું કે એના મગજમાં કેન્સરની ગાંઠ છે. એને ન્યૂરો એન્ડોક્રાઇન ટયુમર તરીકે ઓળખાવાઇ હતી. એણે તરત વિદેશ જઇને સારવાર કરાવવાની જાહેરાત કરી હતી. એટલે વિશાલે સપના દીદી ફ્લોર પર જાય પહેલાં અટકાવી દીધી હતી. હવે ઇરફાનની તબિયત સારી છે એવું એના દોસ્ત અને ટોચના ફિલ્મ સર્જક શૂજિત સરકારે જાહેર કર્યું હતું. એણે કહ્યું કે ઇરફાન સારવારને અનુકૂળ પ્રતિસાદ આપી રહ્યો છે અને બહુ  ઝડપથી સાજો થઇને આવી જશે. ઊધમ સિંહની બાયો-ફિલ્મ કરી શકશે.
 

(4:03 pm IST)