Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અર્જુન કપૂરે મલાઈકા અરોડા સાથે લગ્નને લઈને કર્યો મોટા ખુલાસો

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ની લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે આ બન્ને લવ બર્ડ ટૂંક સમયમાં લગ્ન કરી લેવાના છે અને તેના માટે તેઓ તૈયારીઓ પણ કરી રહયા છે હવે ખુબ અર્જુન કપૂરે એક ઈન્ટર્વ્યૂહમાં આ વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટર્વ્યૂહમાં અર્જુન કપૂરને પૂછવામાં આવેલ સવાલ આ વર્ષે મલાઈકા અરોડા સાથે લગ્ન કરી લેશે ? તો તેના જવાબમાં અર્જુને કહ્યું કે તે હજુ 33 વર્ષનો છે અને તે લગ્ન કરવા માટે કોઈ ઉતાવળ કરવા માંગતો નથી. જો કે આ જવાબ પર થી તો એક વાતનો નક્કી થઇ ગઈ કે અર્જુન કપૂરે મલાઈકાને લઈને પોતાના સંબંધને લઈને હકારાત્મકતા રાખે છે.

(5:45 pm IST)