Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

આયુષ્માને કર્યા લતા મંગેશકરના એક ગીતના વખાણ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ સ્વરા કોકિલા લતા મંગેશકરના એક ગીતના ખુબજ વખાણ કર્યા છે. આયુષ્માને હાલમાં પોતાના ઇન્સટ્રાગ્રામ પર લતા મંગેશકરના ઓલ ટાઈમ હિટ ગીતોમાંથી  એક સાવન કે જુલે પડે ને પોસ્ટ કર્યું છે.

      આયુષ્માનને લાગે છે કે લતા મંગેશકરે અત્યારસુધીમાં જેટલા પણ સુંદર ગીતો ગાયા છે તેમાંથી આ એક છે અને આ ગીત આયુષ્માનને પણ ખુબજ પસંદ છે. લતાજીએ આ વાતનો જવાબ આપતા જણાવ્યું હતું કે મને ખબર છે કે એ ખુબજ સારા એવા અભિનેતા છે અને સાથે એક ખુબજ સુંદર ગાયક પણ  છે એટલા માટે સંગીતમાં પોતાની વાસ્તવિક સમજમાં  જ તેમણે  આ વાત કહી છે હું તેમની ભલાઈ માટે પ્રાર્થના કરું છું.

(6:00 pm IST)