Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

નિખિલ અડવાણી બનાવશે'સત્યમેવ જયતે'ની સિક્વલ

મુંબઈ:ફિલ્મ સર્જક નિખિલ અડવાણીની જ્હૉન અબ્રાહમને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ બનાવવાનું વિચારાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી.ટોચના એેક્શન સ્ટાર અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ સાથે ૧૫મી ઑગષ્ટેરજૂ થઇ હોવા છતાં અને સેન્સર બોર્ડે ફિલ્મમાં હિંસા વધુ છે એમ કહીને ફિલ્મને સર્ટિફિકેટ આપવા છતાં બોક્સ ઑફિસ પર સારો આવકાર મળવાથી ફિલ્મ સાથે સંકળાયેલા સૌ કોઇ ખુશ થયા હતા. નિખિલ અડવાણીની નિકટનાં સૂત્રોએ કહ્યંુ કે ધાર્યા કરતાં સારો પ્રતિભાવ મળવાથી સૌ કોઇને આનંદ થયો છે અને હવે ફિલ્મની સિક્વલ બનાવી શકાય એવું છે કે કેમ એની શક્યતા તપાસાઇ રહી હતી.સામાન્ય રીતે અક્ષય કુમારની ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે અન્ય ફિલ્મ સર્જકો પોતાની ફિલ્મ રજૂ કરતા નથી પરંતુ જ્હૉન બાબતમાં મક્કમ હતો. તાજેતરમાં રજૂ થયેલી એની પોખરણ ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી. એટલે સ્વાભાવિક રીતેજ જ્હૉનનો ઉત્સાહ બેવડાયો હતો. સત્યમેવ જયતે ભ્રષ્ટાચાર અને પોલિટિક્સ વિરોધી ફિલ્મ છે જેમાં જ્હૉને ભ્રષ્ટાચાર સામે લડતા ઇમાનદાર પોલીસ અધિકારીનો રોલ કર્યો  છે જે કાયદો પોતાના હાથમાં લઇને ભ્રષ્ટાચારીઓ સામે લડે છે.હાલ ફિલ્મ સર્જકો સિક્વલ બની શકે એવી સ્ક્રીપ્ટની તલાશમાં છે. એકવાર સ્ક્રીપ્ટ મળી જાય તો વાત આગળ વધશે.

(4:11 pm IST)