Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા-યશરાજની કાર વચ્ચે ટક્કર, બન્નેની કારને નુકશાન

બોલિવુડ સ્ટાર ગોવિંદાના પુત્રનો આબાદ બચાવ : બન્ને પક્ષોએ પરસ્પર સંમતી સાધી ફરિયાદ કરવાનું ટાળ્યું

મુંબઈ, તા. ૨૫ : બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અંગે સમાચાર છે કે તેની કારને બુધવારે રાત્રે બીજી કારે ટક્કર મારી હતી, કારમાં ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા અને ડ્રાઇવર હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામેનું વાહન યશરાજ બેનર સાથે સંકળાયેલી વ્યક્તિનું હતું, ઘટના ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી, જે ગાડીએ ટક્કર મારી તેને ડ્રાયવર ચલાવી રહ્યો હતો. ટક્કરમાં બંને વાહનોને નુકસાન થયું હતું, જોકે ગોવિંદાના પુત્રને કંઈ થયું નથી. જુહુ પોલીસે કહ્યું કે મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બંને પક્ષોએ પરસ્પર સંમતિથી મામલો ઉકેલી લીધો છે. ગોવિંદાની કાર યશરાજની કાર સાથે ટકરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા, હિન્દી સિનેમાના સુપરસ્ટાર રહી ચૂકેલો, ગોવિંદા વર્ષ ૨૦૦૪ માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતા અને તેણે મુંબઈ ઉત્તરથી લોકસભાની ચૂંટણી પણ જીતી હતી, પ્રેમથી લોકોને 'ચીચી' પણ કહે છે. ગોવિંદાનો જન્મ મુંબઇના એક પંજાબી પરિવારમાં થયો હતો.

          તેના પિતાનું નામ અરૂણકુમાર આહુજા અને માતાનું નામ નિર્મલા દેવી હતું, માતા એક જાણીતાં અભિનેત્રી હતાંગોવિંદાની કારકિર્દીની શરૂઆત  'ઇલ્જામ' ફિલ્મથી થઈ હતી જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. પછી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને તેના કામને બધાની પ્રશંસા મળી. ૧૯૯૦ અને ૧૯૯૯ ની વચ્ચેનો સમય તેના માટે ખૂબ સારો રહ્યો, તેની ફિલ્મો અને તેના અભિનયને વિવેચકો અને પ્રેક્ષકોએ અને સાથે સાથે બોક્સ ઓફિસ પર તેની સફળતાને ખૂબજ પ્રશંસા મળી. તેણે ડેવિડ ધવન સાથે ૧૭ હિટ ફિલ્મો આપી છે, જે એક રેકોર્ડ છે. છેલ્લે ૨૦૧૯ માં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ 'રંગીલા રાજા' માં તે જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે ગોવિંદા આજકાલ ગંભીર માનસિક બીમારીથી પીડિત છે, જેના માટે તેને તાત્કાલિક અસરથી સારવાર લેવાની જરૂર છે. ગોવિંદા માનસિક બિમારીથી ઝઝૂમી રહ્યા છે.

           એક અંગ્રેજી વેબસાઇટએ દાવો કર્યો હતો કે ગોવિંદા ઘણા સમયથી વિચિત્ર વર્તન કરે છે, તેની વર્તણૂક મોટાભાગે નકારાત્મક છે, જેના કારણે ઘણા વિતરકો તેનાથી નારાજ છે અને વખતે તેની સાથે ફિલ્મ ઉદ્યોગમાં કોઈ નથી. તેના કોઈ મિત્રો નથી અને કોઈ તેની મદદ કરવા તૈયાર નથી, જોકે અભિનેતા અથવા તેના પરિવાર તરફથી વિશે કોઈ નિવેદન આવ્યું નથી, હાલમાં ગોવિંદા ફિલ્મોથી દૂર છે.

(7:41 pm IST)