Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઐતિહાસિક વિષય ધરાવતી ફિલ્મ કરવી છે રણબીર કપૂરને

બોલીવૂડનો રોકસ્ટાર રણબીર કપૂર સતત ચર્ચામાં છે. તેની ફિલ્મ સંજૂ રિલીઝ થવાની તૈયારીમાં છે. લવરબોયની છાપ ધરાવતો આ હીરો હવે મુગલ-એ-આઝમ જેવી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. સાંઇઠ-સિત્તેરના દસકની આ ફિલ્મ આજે પણ લોકપ્રિય છે. અભિનય સમ્રાટ દિલીપ કુમાર, મધુબાલા અને પૃથ્વીરાજ કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. પૃથ્વીરાજ કપૂરે અકબરની ભૂમિકા નિભાવી હતી. કપૂર ખાનદાની ચોથી પેઢીનો હીરો રણબીર પણ હવે આવી લાજવાબ ઐતિહાસિક ફિલ્મમાં કામ કરવાની તક શોધી રહ્યો છે.  તે કહે છે આવી કોઇ ફિલ્મ મળશે તો ચોક્કસ કરીશ. આવી એક ફિલ્મ માટે હાલમાં વાત પણ ચાલી રહી છે. મને વિશ્વાસ છે કે આવી ફિલ્મમાં હું ચોક્કસ સારી ભૂમિકા નિભાવી શકીશ. 

(9:20 am IST)