Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બોલીવુડના બહુચર્ચિત આ પ્રેમી-પંખીડા 19 નવેમ્બરે લગ્નના તાંતણે બંધાઈ તેવી અટકળો

મુંબઇ: સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન બાદ હવે લોકોની નજરમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહ છે. આ પ્રેમી પંખીડા ક્યારે લગ્ન કરશે તેની સહુ આતુરતાાૃથી રાહ જોઇ રહ્યા છે. તેમના લગ્નની વારંવાર અફવાઓ ચગે છે પરંતુ હજી સુાૃધી કોઇ ખાતરીની વાત આવી નથી. દીપિકા-રણવીરના લગ્ન માટેની છેલ્લી વાત એવી છે કે આ યુગલ ૧૯ નવેમ્બરે મુંબઇમાં જ લગ્ન કરશે. દીપિકા તો લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઇ ગઇ છે. જ્યારે બન્નેના પરિવારો લગ્નની તૈયારી કરી રહ્યા છે. મોટા ભાગે આ યુગલને ડેસ્ટિનેશન લગ્ન કરવા નાૃથી. જોકે રણવીરે તો એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ ંકે, હું મારા લગ્નની જાહેરાત આભે પોકારીને કરીશ. મારે  એમાં છુપાવવા જેવું કાંઇ નથી. આ પ્રેમીપંખીડાએ ૧૯ નવેમ્બરે લગ્ન કરવાની વાતને સમાર્થન આપ્યું નથી. પરંતુ સોશયલ મીડિયાના એક પોર્ટલ પ્રમાણે તેમના પરિવારમાં મહેમાની યાદીથી લઇ અને ક તૈયારીઓ થઇ રહી છે. આ વરસે આ યુગલ પ્રભુતામાં પાડશે તેવું લાગી રહ્યું છે.
 

(4:44 pm IST)