Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ટીવી શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી'ની સિનિયર એક્ટ્રેસ અમિતા અદગાતાનું નિધન

મુંબઈ:નાના પડદાનો પોપ્યુલર શો ”કુછ રંગ પ્યાર કે એસે ભી” ની સીનિયર એક્ટ્રેસ અમિતા અદગાતાનું નિધન થયું છે. અમિતા આ શોમાં ફોઈનો રોલ કરતા હતા. સીનિયર એક્ટ્રેસ અમિતા અદગાતાનું ગઈકાલે રાત્રે નિધન થયુ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્ટ્રેસ બીમારીને કારણે લાંબા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતા. હોસ્પિટલમાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. પંરતુ અચાનક ફેફસા ફેઈલ થવાને કારણે તેમનું નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, અમિતા ઝી ટીવીના અનેક લોકપ્રિય શોનો હિસ્સો રહ્યા છે. તેમની સૌથી વધુ લોકપ્રિયતા ”મન કી આવાઝ શો”માં પ્રતિજ્ઞાના દાદીના પાત્રમાં મળી હતી. આ ઉપરાંત તેમણે ‘ડોલી અરમાનો કી’, ‘બાઝીગર’માં પણ પ્રમુખ ભૂમિકા ભજવી છે.

(6:03 pm IST)