Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આમિર ખાનનો ફિલ્મ છિછોરેમાં કેમિયો રોલ

મુંબઈ: અભિનેતા આમિર ખાન હાલ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢાની તૈયારીમાં વ્યસ્ત છે. તે પહેલાં  અભિનેતા ફિલ્મમેકર નિતેશ તિવારીની આગામી ફિલ્મ છિછોરેમાં કેમિયો રોલ ભજવતો જોવા મળશે. ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. ફિલ્મ દંગલ બાદ નિતેશ સાથે આમિર ખાનની આ બીજી ફિલ્મ છે. ફિલ્મ છિછોરે બે પેઢીઓની સ્ટોરી પર આધારિત છે. જેમાં સુશાંત, શ્રદ્ધા ડબલ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મમાં દરેક કિરદારના ડબલ રોલ છે, જે ફિલ્મની મોટી વિશેષતા છે.

(5:58 pm IST)