Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન આધારિત ફિલ્મ 'સારે જહાં સે અચ્છા' સલમાન ખાન કરશે લીડ રોલ !!??

ફિલ્મમેકર સિદ્ધાર્થ રોયની ફિલ્મનું ડાયરેકશન મહેશ મથઈ કરશે

 

મુંબઈ : ફિલ્મમેકર સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મ 'સારે જહાં સે અચ્છા' બનાવવા માગે છે. ફિલ્મના વિષેમાં ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન પર આધારિત છે. રાકેશ શર્મા અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય હતા. ૧૯૮૪ માં સોવિયત રોકેટ સોયુજ ટી-૧૧માં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય નાગરિક પણ હતા.

બાયોપિકમાં સૌથી પહેલા સુપરસ્ટાર આમીર ખાનને લેવામાં આવશે તેવી વાતો ચાલી રહી હતી. શાહરૂખ ખાનથી પણ વાત લગભગ નક્કી થઈ ચુકી હતી પરંતુ વાત બની નહોતી. રણવીર કપૂર, વિક્કી કૌશલનું નામ પણ સામે આવ્યું, પરંતુ કોઈ ખાસ પુષ્ટિ થઈ શકી નહોતી.

સિદ્ધાર્થ રોલ માટે સલમાન ખાનને લેવાનું વિચારી રહ્યા છે. સિદ્ધાર્થ રોય કપૂર સલમાન ખાનથી વિશેમાં વાત કરવા માટે ગયા છે પરંતુ સલમાન ખાને ફિલ્મ કરવાની હા પાડી નથી.સિદ્ધાર્થ રોય કપૂરે નેટફિલ્ક્સની ફિલ્મ 'યે બેલે' ના સેટ પર કહ્યું હતું કે, "અમે આતુરતા તેમની રાહ જોઈ રહ્યા છીએ. ફિલ્મનું ડાયરેકશન મહેશ મથઈ કરશે."

(11:02 pm IST)