Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ફીટનેસનું રહસ્ય જણાવ્યું

અક્ષયકુમાર રોજ સવારે ૪ વાગ્યે ઉઠી જાય છે : વ્હેલો સુવે છે : સાંજે ૬ પછી ખાતો નથી

મોડી રાતની પાર્ટીમાં જતો નથી : દારૂ પીતો નથી : નિયમિતતામાં માને છે

નવી દિલ્હી તા. ૨૫ : બોલીવુડમાં અંદાજે ૨૮ વર્ષ વીતાવ્યા બાદ આજે અક્ષયકુમારની ઉંમર ફકત ૩૦-૩૨ વર્ષની લાગે છે. જો કે તેની પાછળની મહેનત અને લગનની સાથે અક્ષયકુમારે તેમને ફિટ રાખવા માટે જેટલી ચોકસાઇ દેખાડી છે તે સરળ નથી.

અક્ષયકુમારેના ફેન્સ હંમેશા તેની ફિટનેસના દિવાના રહ્યા છે તેથી હાલમાં અક્ષયકુમારે તેની ફિટનેસની અનેક ટીપ્સ આપી છે. આ ટીપ્સને શેર કરીને લોકોને ફિટ રહેવા માટે પ્રેરીત કર્યા છે.

અક્ષયકુમાર તેમની ફિટનેસનું સૌથી મોટું રાઝ તેમના ટાઇટ ટાઇમિંગને માને છે. તેઓનું કહેવું છે કે, સાંજે ૬ વાગ્યા બાદ ખાવું જોઇએ નહિ. તેઓએ જણાવ્યું કે, એવું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સુરજ આથમ્યા બાદ જમવું જોઇએ નહિ. તેથી જો તમે પણ અક્ષયકુમાર જેવી પર્સનાલિટી ઇચ્છીએ છે તો સાંજે ૬ વાગ્યા બાદ જમવાની આદતમાં ફેરફાર કરી શકે છે.

એ વાત સાંભળીને લોકો પણ હેરાન થઇ જાય છે કે અક્ષયકુમાર મોડી રાત સુધી જાગતો નથી તે રાતે ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં ઉંઘી જાય છે તેની નીંદર પૂરી થઇ જાય છે.

અક્ષય રોજ સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે ખુદ તેની ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે, જ્યારે અમે લોકો પાર્ટીઓ કરીને પાછા ફરી રહ્યા હોય છીએ ત્યારે અક્ષયકુમાર એકસરસાઇઝ કરવા માટે જાય છે.

ખેલાડીકુમાર જો કોઇ દિવસ શુટીંગ વગેરેમાં કાર્યરત રહે છે તો તેઓ સાંજે ૬ વાગ્યા પહેલા જમવાનું જમી શકે નહીં તો તેઓ રાતે ફ્રુટ કે સલાડનું સેવન કરે છે. વિજ્ઞાન પણ એ વાતને માને છે કે રાતે તે હલકુ જવાનું જમશે. સાથે જ તમારૂ પાચનતંત્ર પણ મજબૂત રાખે છે. અક્ષયકુમાર દારૂનું સેવન કરતો નથી કારણ કે દારૂનું સેવન કરવાથી શરીરના અનેક અંગોને નુકસાન પહોંચે છે.

(11:34 am IST)