Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

૨૪ માર્ચે રજૂ થશે અક્ષય કુમારની 'સૂર્યવંશી' પહેલા આ ફિલ્મ ઇદ ૨૦૨૦ પર રીલિઝ થવાની હતી

મુંબઇ, તા.૨૫: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યવંશીની રાહ લાંબા સમયથી તેમના ફેન્સ જોઇ રહ્યા છે. પણ હવે આ ફિલ્મને લઇને એક સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મની રિલિઝ ડેટને ત્રણ દિવસ આગળ કરવામાં આવી છે. ફેન્સની બ્રેસબ્રીને દેખતા આ ફિલ્મને ૨૭ માર્ચના બદલે ૨૪ માર્ચ રજૂ કરવામાં આવશે.

અક્ષય કુમાર સમતે રણવીર સિંહ આનો એક નવો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આ ફિલ્મની નવી તારીખ એટલે કે ૨૪ માર્ચ વિષે પણ જણાવવામાં આવ્યું છે.

ફિલ્મ રીલિઝની ડેટ ચેન્જનું કારણ ૨૫ માર્ચની રજાને પણ માનવામાં આવી રહી છે. ૨૫ માર્ચે ગુડી પડવા છે માટે ૨૪ માર્ચ સાંજથી ૨૪ કલાક સિનેમાદ્યરમાં આ ફિલ્મ બતાવવામાં આવશે આ ફિલ્મ ૨૪ માર્ચના રીલિઝ થતા ફિલ્મના કલેકશન પર સારી અસર થશે. મંગળવાર સાંજે ૬ વાગે આ ફિલ્મનો પહેલો શો રજૂ કરવામાં આવશે.

પહેલા આ ફિલ્મ ઇદ ૨૦૨૦ પર રીલિઝ થવાની હતી. પણ સલમાન ખાન સાથે કલેશથી બતવા આ ફિલ્મને બે મહિના પહેલા ૨૭ માર્ચ રજૂ કરવાની વાત કરી હતી. રોહિત શેટ્ટીની આ ફિલ્મ કોપ જોનરની નવી પ્રસ્તૃતિ હેઠળ છે. સિંદ્યમ ફેંચાઇઝીમાં અજય દેવગણ અને સિમ્બામાં રણવીર સિંહને પોલિસ ઓફિસરના રોલમાં રજૂ કર્યા પછી હવે અક્ષય કુમાર હવે આ રોલ નિભાવી રહ્યા છે. ત્યારે સિંદ્યમ અને સિમ્બાની જેમ આ ફિલ્મ પણ બોકસ ઓફિસ પર સુપર હિટ સાબિત થશે તેમ લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેટરીના કૈફ છે.(૨૩.૫)

 

(10:03 am IST)