Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વધુ એક સત્ય ઘટના પરની ફિલ્મ કરશે અજય

અભિનેતા અજય દેવગણ અને નિર્માતા પ્રકાશ ઝા પાંચ વર્ષ પછી ફરીથી સાથે કામ કરશે. છેલ્લે ૨૦૧૩માં આ બંનેએ સત્યાગ્રહ નામની ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. એ પહેલા પ્રકાશ ઝાએ અજયને લઇને ગંગાજલ, રાજનીતિ, અપહરણ જેવી સફળ ફિલ્મો આપી છે. ફરી એક વખત કંઇક નવા અને રોચક વિષય સાથે આ બંનેને જોડી કમાલ કરવા આવી રહી છે. હાલમાં અજય અને પ્રકાશ ફિલ્મની કહાની પર ચર્ચા કરી રહ્યા છે. અજયને કહાની ખુબ ગમી છે. તારીખ નક્કી થયા બાદ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત હોવાનું કહેવાય છે. અજય હાલમાં તેની મહાત્વાકાંક્ષી ફિલ્મ તાનાજી- ધ અનસંગ વોરિયરના કામમાં વ્યસ્ત છે. અજય અને પ્રકાશે પહેલી વખત દિલ કયા કરે નામની ફિલ્મ ૧૯૯૯માં આપી હતી. કુલ પાંચ ફિલ્મો સાથે કરી છે.

(9:46 am IST)