Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

એવા લોકોએ મોઢા બંધ રાખવા જોઇએઃ નિયા

ટીવી અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં સુશાંતસિંહ વિશે બોલી રહેલા લોકોનો ઉધડો લીધો હતો. તેણે સોશિયલ મિડીયા યુઝર્સને પણ તતડાવ્યા હતાં. નિયાએ કહ્યું હતું કે દસ વર્ષ પહેલા હું પણ મુંબઇ સપના સાથે દિલ્હીથી આવી હતી. બનવું હતું રિપોર્ટર પણ પછી એકટર બની ગઇ. ન્યુઝ ચેનલ્સે લોકોને બદનામ કરવાનું અને નિર્ણાયક બનવાનું બંધ કરવું જોઇએ. આવા નાટકો કરવાની જરૂર નથી. લોકો સુશાંતસિંહ સાથે જોડાયેલા છે. મને લાગે છે કે અહિ માત્ર એ લોકોએ જ બોલવું જોઇએ જે લોકો આ મામલા સાથે જોડાયેલા હોય. બીજાએ પોતાના મોઢા બંધ રાખવા જોઇએ. ઘણા લોકો એવા છે જે પથારીમાં પડ્યા પડ્યા માત્ર ચર્ચામાં રહેવા માટે ટ્વિટ કરતાં રહે છે. જો જરૂર ન હોય તો લોકોએ આ વિશે બોલવું જોઇએ નહિ. જે લોકો ન્યાયની વાત કરી રહ્યા છે તેની વાત પણ સાંભળવામાં આવશે. કોઇની ઇમેજ ખરાબ કરવાથી આપણને કંઇ મળવાનું નથી. કોઇની પ્રાઇવસી ખતમ કરીને ગોૈરવ અનુભવવાનો આજે ગંદો ખેલ ખેલાઇ રહ્યો છે. આવું ન થવું જોઇએ. નિયા છેલ્લે એકતાના શો નાગિન-૪માં જોવા મળી હતી.

(9:37 am IST)